ચેતતું તંત્ર સદા સુખીઃ અમદાવાદના ત્રણ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ બંધ

2 hours ago 1
No level    tickets connected  Ahmedabad stations

અમદાવાદઃ મુંબઈના બાન્દ્રા ટર્મિનસ પર ગોરખપુર જતી ટ્રેનમાં ચડવા જતા મુસાફરોમાં ભાગદોડ મચી જતા નવ જણ ઘાયલ થયાની ઘટના અને ત્યારબાદ સુરતના ઉધના રેલવે સ્ટેશન પર કિડિયારાની જેમ ઊભરાતા મુસાફરોના વીડિયોને ધ્યાનમાં લઈ અમદાવાદ મંડળે અમદાવાદમાં પણ સાવધાની વર્તી છે.

અહીંના ત્રણ રેલવે સ્ટેશન અમદાવાદ જંકશન એટલે કે કાળુપુર, આસરવા અને સાબરમતી પર હવેથી તમને પ્લેટફોર્મ ટિકિટ મળશે નહીં. આ નિયમ છઠ્ઠી નવેમ્બર સુધી લાગુ કરવામાં આવ્યો છે.

દિવાળીના દિવસોમાં અન્ય રાજ્યમાંથી કામ-ધંધે આવેલા લાખો લોકો પોતાના રાજ્યમાં જાય છે. મોટેભાગે અગિયારસ અથવા દિવાળીથી લાભપાંચમ સુધી રજાઓ હોય છે આથી લાંબી રજાઓનો લાભ લઈ પોતપોતાના વતન જતા રહે છે. આ સાથે બાળકોના વેકેશનને લીધે પણ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનો પર ભારે ભીડ રહે છે.

Also Read – Gujarat Weather: દિવાળી સુધી બેવડી ઋતુ અનુભવાશે, ભૂજમાં મહત્તમ તપામાન 40 ડિગ્રી નોંધાયું

જરૂર કરતા રેલવેની સુવિધા ઓછી હોવાથી
સામાન્ય દિવસોમાં પણ પ્રવાસીઓની ભીડ રહેતી હોય છે ત્યાર તહેવારના દિવસોમાં આ સ્થિતિ ગંભીર રૂપ ધારણ કરે છે. તેવામાં જો પ્લેટફોર્મ પર મુસાફરો સાથે આવતા સંબંધીઓની સંખ્યા ઘટે તો થોડી રાહત થાય છે, તેવું રેલવેનું માનવાનું છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article