Indian-American leaders praise PM Modi for India's inclusive development (PTI)

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય થયો છે. ત્યારે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi)દિલ્હીના લોકોનો આભાર માન્યો અને પાર્ટી કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે દિલ્હીમાં વિકાસ અને સુશાસનનો વિજય થયો છે. પીએમ મોદી ફરી એક વાર કહ્યું હતું કે દિલ્હીના વિકાસમાં કોઇ કસર છોડવામાં નહિ આવે.

Also work : દિલ્હી ચૂંટણીમાં જીત બાદ સાંજે પીએમ મોદી કરશે સંબોધન, કાર્યકર્તાઓ જશ્નમાં ડૂબ્યા

जनशक्ति सर्वोपरि!

विकास जीता, सुशासन जीता।

दिल्ली के अपने सभी भाई-बहनों को @BJP4India को ऐतिहासिक जीत दिलाने के लिए मेरा वंदन और अभिनंदन! आपने जो भरपूर आशीर्वाद और स्नेह दिया है, उसके लिए आप सभी का हृदय से बहुत-बहुत आभार।

दिल्ली के चौतरफा विकास और यहां के लोगों का जीवन उत्तम…

— Narendra Modi (@narendramodi) February 8, 2025

આ ઉપરાંત પીએમ મોદીએ દિલ્હી ભાજપના કાર્યકરોને અભિનંદન આપતા લખ્યું, મને મારા બધા ભાજપ કાર્યકરો પર ખૂબ ગર્વ છે. જેમણે આ વિશાળ જનાદેશ માટે દિવસ-રાત મહેનત કરી. હવે અમે દિલ્હીવાસીઓની સેવા કરવા માટે વધુ મજબૂત રીતે સમર્પિત થઈશું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અભિનંદન પાઠવ્યા

दिल्ली में झूठ के शासन का अंत हुआ है… यह अहंकार और अराजकता की हार है।

यह ‘मोदी की गारंटी’ और मोदी जी के विकास के विजन पर दिल्लीवासियों के विश्वास की जीत है।

इस प्रचंड जनादेश के लिए दिल्ली की जनता का दिल से आभार।

मोदी जी के नेतृत्व में भाजपा अपने सभी वादे पूरे कर दिल्ली को…

— Amit Shah (@AmitShah) February 8, 2025

દિલ્હીમાં ભાજપના વિજય મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે જુઠ્ઠાણાના શાસનનો અંત અને વિકાસ અને વિશ્વાસના નવા યુગની શરૂઆત થઇ છે. તેમણે કહ્યું કે રાજધાનીના મતદારોએ વચન તોડનારા લોકોને એક એવો પાઠ શીખવ્યો છે જે ખોટા વચનો આપનારાઓ માટે એક ઉદાહરણ બનશે.

વિશ્વની નંબર વન રાજધાની બનાવવા માટે કટિબદ્ધ

તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પ્રચંડ જનાદેશ બદલ લોકો અને ભાજપના કાર્યકરોને અભિનંદન આપ્યા અને કહ્યું કે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાર્ટી તેના તમામ વચનો પૂરા કરીને દિલ્હીને વિશ્વની નંબર વન રાજધાની બનાવવા માટે કટિબદ્ધ છે.

Also work : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં

દિલ્હીના હૃદયમાં પીએમ મોદી

અમિત શાહે એક્સ પર અન્ય પોસ્ટ્સમાં જણાવ્યું કે દિલ્હીના હૃદયમાં પીએમ મોદી છે. દિલ્હીના લોકોએ જૂઠાણા, કપટ અને ભ્રષ્ટાચારના શીશમહેલ નો નાશ કરીને દિલ્હીને આપત્તિમુક્ત બનાવવાનું કામ કર્યું છે. દિલ્હીએ વચન તોડનારાઓને એક એવો પાઠ ભણાવ્યો છે. જે દેશભરમાં જનતાને ખોટા વચનો આપનારાઓ માટે એક ઉદાહરણ બનશે. તેમણે દિલ્હીના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમજ મોદીની ગેરંટી અને વિકાસના વિઝનમાં દિલ્હીવાસીઓના વિશ્વાસનો વિજય ગણાવ્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને