બાબરે કૅપ્ટન્સી છોડી એટલે પાકિસ્તાને હવે આને બનાવ્યો નવો સુકાની…

1 hour ago 1
"mohammed rizwan holds pakistan captaincy badge"

કરાચી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ રવિવારે વિકેટકીપર-બૅટર મોહમ્મદ રિઝવાનને મર્યાદિત ઓવર્સ માટેની ટીમોના નવા કૅપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. તે ઑસ્ટ્રેલિયા ખાતેના આગામી વન-ડે તથા ટી-20 પ્રવાસ માટેની ટીમનું નેતૃત્વ સંભાળશે. બાબર આઝમે તાજેતરમાં કૅપ્ટન્સી છોડી ત્યાર બાદ પીસીબીએ રિઝવાન પર કળશ ઢોળ્યો છે.

ઑસ્ટ્રેલિયામાં પાકિસ્તાનની ટીમ 4-18 નવેમ્બર દરમ્યાન વન-ડે સિરીઝ અને ત્યાર પછી ટી-20 સિરીઝ રમશે. ઑસ્ટ્રેલિયાના આ પ્રવાસ સાથે રિઝવાન કૅપ્ટન તરીકેની જવાબદારી સંભાળશે. જોકે આ ટૂર બાદ ઝિમ્બાબ્વેમાં રમાનારી વનઅને ટી-20 સિરીઝમાંથી રિઝવાનને આરામ આપવામાં આવ્યો છે.

| Also Read: Fail Or Pass: King Kohli માટે 2024નું વર્ષ રહ્યું સૌથી ખરાબ, હજુ રેકોર્ડ સુધારવાની તક

32 વર્ષનો રિઝવાન પાકિસ્તાન વતી 2015ની સાલથી અત્યાર સુધીમાં 35 ટેસ્ટ, 74 વન-ડે અને 102 ટી-20 રમ્યો છે. તેણે કુલ 7,400થી પણ વધુ રન બનાવ્યા છે તેમ જ સ્ટમ્પ્સની પાછળથી કુલ 235 શિકાર કર્યા છે. 30 વર્ષના સ્પિન-ઑલરાઉન્ડર સલમાન અલી આગાને ચારેય ટીમમાં સામેલ કરાયો છે અને તે વાઇસ-કૅપ્ટન તરીકે નિયુક્ત થયો છે.
ઑસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ ઝિમ્બાબ્વેમાં મર્યાદિત ઓવર્સની જે બે શ્રેણી રમાશે એ માટેની ટીમ પણ ઘોષિત કરાઈ છે.

નવાઈની વાત એ છે કે પીસીબીએ કૅપ્ટનની પસંદ વિના સાંજે આ ચારેય શ્રેણી માટેની ટીમ જાહેર કરી દીધી હતી.
ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે અને ટી-20 સિરીઝથી બાબર આઝમ, શાહીન શાહ આફ્રિદી અને નસીમ શાહ રાષ્ટ્રીય ટીમમાં કમબૅક કરી રહ્યા છે. તેમને ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી બે ટેસ્ટમાં નહોતા રમાડવામાં આવ્યા. જોકે ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પછી ઝિમ્બાબ્વેની જે ટૂર યોજાશે એ માટેની ટીમમાં આ ત્રણેય અનુભવી ખેલાડીઓને સામેલ નથી કરવામાં આવ્યા.

ઇન્ઝમામ-ઉલ-હકના ભત્રીજા ઇમામ-ઉલ-હક તથા ફખર ઝમાનને પીસીબીએ સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાં સામેલ નથી કર્યા. આ બન્નેને ચારેયમાંથી એક પણ ટીમમાં નથી સમાવવામાં આવ્યા. તાજેતરમાં એસીસી ઇમર્જિંગ એશિયા કપની સેમિ ફાઇનલમાં હારી જનાર પાકિસ્તાન શાહીન્સ ટીમના વિકેટકીપરને પસંદ નથી કરવામાં આવ્યો, પણ જાન્યુઆરીમાં ન્યૂ ઝીલૅન્ડમાં એક ટી-20 રમનાર વિકેટકીપર હસીબુલ્લા ખાનને ચારેય ટીમમાં સ્થાન અપાયું છે.

| Also Read: રોહિતે ટી-20 વાળી માનસિકતા છોડવી જોઈએ’…કયા ભૂતપૂર્વ ક્રિકેટરે કેમ કહ્યું આવું કૅપ્ટન વિશે?


ચોથી નવેમ્બરે મેલબર્નમાં ઑસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન જે વન-ડે રમશે એ ગયા વર્ષે ભારતમાં રમાયેલા વન-ડે વર્લ્ડ કપ પછીની પાકિસ્તાનની પ્રથમ વન-ડે કહેવાશે. ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં જ વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે એ જોતાં પાકિસ્તાન હવે એ સ્પર્ધાની પૂર્વતૈયારી ઑસ્ટ્રેલિયા સામેની આગામી વન-ડે શ્રેણીથી શરૂ કરશે.પાકિસ્તાનના ક્રિકેટરો ઝિમ્બાબ્વેમાં રમ્યા બાદ સાઉથ આફ્રિકામાં ત્રણેય ફૉર્મેટની સિરીઝ રમશે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article