વિડીયો કોન્ફરન્સિંગથી વડાપ્રધાને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યને આપી 11,200 કરોડની યોજનાઓ…

2 hours ago 1

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ બે દિવસ અગાઉ ખરાબ હવામાનને કારણે પુણેમાં યોજાયેલો તેમનો કાર્યક્રમ રદ કરવાની ઘટનાને યાદ કરી હતી અને આજના વર્ચ્યુઅલ ઇવેન્ટનો શ્રેય ટેકનોલોજીને આપતાં કહ્યું હતું કે, મહાન વિભૂતિઓની પ્રેરણાની આ ભૂમિ મહારાષ્ટ્રના વિકાસનો નવો અધ્યાય જોઈ રહી છે. PM મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, આજે જિલ્લા અદાલતનાં પુણે મેટ્રો સેક્શનનાં ઉદઘાટન અને પુણે મેટ્રો ફેઝ-1નાં સ્વારગેટટ-કટરાજ એક્સટેન્શનનો શિલાન્યાસ થયો છે. તેમણે ભિડેવાડામાં ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલેની પ્રથમ કન્યા શાળાનાં સ્મારકનો શિલાન્યાસ કરવા વિશે પણ વાત કરી હતી અને પુણેમાં જીવન જીવવાની સરળતા વધારવાની દિશામાં ઝડપથી થઈ રહેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

Speaking astatine motorboat of assorted projects successful Maharashtra. These volition springiness a boost to municipality improvement and importantly adhd to 'Ease of Living' for the people. https://t.co/0hXLSIJTGN

— Narendra Modi (@narendramodi) September 29, 2024

પ્રધાનમંત્રીએ શહેર સાથે સીધી હવાઈ જોડાણ સ્થાપિત કરવા સોલાપુર એરપોર્ટનાં ઉદઘાટનનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, “ભગવાન વિઠ્ઠલનાં ભક્તોને પણ આજે વિશેષ ભેટ મળી છે.” તેમણે માહિતી આપી હતી કે, ટર્મિનલની ક્ષમતામાં વધારો થયો છે અને હાલના એરપોર્ટના અપગ્રેડેશનની કામગીરી પૂર્ણ થયા પછી મુસાફરો માટે નવી સેવાઓ અને સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેથી ભગવાન વિઠ્ઠલના ભક્તોની સુવિધામાં વધારો થયો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ એરપોર્ટથી વેપાર-વાણિજ્ય, ઉદ્યોગો અને પ્રવાસનને પણ વેગ મળશે અને મહારાષ્ટ્રના લોકોને આજની વિકાસ યોજનાઓ માટે અભિનંદન પાઠવ્યા હતા.

आज भगवान विट्ठल के आशीर्वाद से उनके भक्तों को भी स्नेह उपहार मिला है।

सोलापुर को सीधे एयर-कनेक्टिविटी से जोड़ने के लिए एयरपोर्ट को अपग्रेड करने का काम पूरा कर लिया गया है: PM @narendramodi pic.twitter.com/eB7SxwgGB3

— PMO India (@PMOIndia) September 29, 2024

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે મહારાષ્ટ્રને નવા ઠરાવો સાથે મોટા લક્ષ્યાંકોની જરૂર છે.” પ્રધાનમંત્રીએ પુણે જેવા શહેરોને પ્રગતિ અને શહેરી વિકાસનું કેન્દ્ર બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પુણેની પ્રગતિ અને વધતી જતી વસતિનાં દબાણ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે જ વિકાસ અને ક્ષમતા વધારવા માટે પગલાં લેવાની જરૂર છે. આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હાલની રાજ્ય સરકાર પુણેનાં જાહેર પરિવહનનાં આધુનિકીકરણનાં અભિગમ સાથે કામ કરી રહી છે અને શહેરનાં વિસ્તરણ સાથે કનેક્ટિવિટીને વેગ આપી રહી છે.

પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, પુણે મેટ્રો વિશે વર્ષ 2008માં ચર્ચા શરૂ થઈ હતી, પણ તેનો શિલાન્યાસ વર્ષ 2016માં થયો હતો, ત્યારે તેમની સરકારે ઝડપી નિર્ણયો લીધા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આનાં પરિણામે આજે પુણે મેટ્રો ઝડપ પકડી રહી છે અને તેનું વિસ્તરણ થઈ રહ્યું છે. આજની પરિયોજનાઓનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું હતું કે, એક તરફ ડિસ્ટ્રિક્ટ કોર્ટથી સ્વારગેટટ સુધીના પુણે મેટ્રો સેક્શનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે, જ્યારે બીજી તરફ સ્વારગેટટથી કટરાજ લાઇનનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. તેમણે આ વર્ષે માર્ચમાં રૂબી હોલ ક્લિનિકથી રામવાડી સુધીની મેટ્રો સેવાનું ઉદઘાટન કરવાનું યાદ કર્યું. પ્રધાનમંત્રીએ વર્ષ 2016થી અત્યાર સુધી પુણે મેટ્રોનાં વિસ્તરણ માટે થયેલી કામગીરીની પ્રશંસા કરી હતી, કારણ કે તેમણે ઝડપી નિર્ણય લીધો હતો અને અવરોધો દૂર કર્યા હતાં. તેમણે ધ્યાન દોર્યું હતું કે વર્તમાન સરકારે પુણેમાં મેટ્રોનું આધુનિક નેટવર્ક તૈયાર કર્યું છે જ્યારે અગાઉની સરકાર 8 વર્ષમાં માંડ માંડ એક મેટ્રો પિલર બનાવી શકી હતી.

पुणे शहर में Ease of Living बढ़ाने का हमारा जो सपना है, मुझे खुशी है कि हम उस दिशा में तेज गति से आगे बढ़ रहे हैं: PM @narendramodi pic.twitter.com/CjvIApFHyo

— PMO India (@PMOIndia) September 29, 2024

શ્રી મોદીએ મહારાષ્ટ્રની પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે વિકાસ-સંચાલિત શાસનનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સાતત્યમાં કોઈ પણ પ્રકારનાં વિક્ષેપથી રાજ્યને નોંધપાત્ર નુકસાન થાય છે. તેમણે મેટ્રોની પહેલથી માંડીને મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન અને ખેડૂતો માટે મહત્ત્વપૂર્ણ સિંચાઈ યોજનાઓ જેવી વિવિધ અટકી પડેલી પરિયોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો, જે ડબલ એન્જિન ધરાવતી સરકારનાં આગમન અગાઉ વિલંબિત થઈ હતી.

પ્રધાનમંત્રીએ બિડકીન ઔદ્યોગિક વિસ્તાર વિશે વાત કરી હતી, જે ઔરિક સિટીનો મહત્ત્વપૂર્ણ ઘટક છે, જેની કલ્પના તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનાં કાર્યકાળ દરમિયાન થઈ હતી. દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોર પર સ્થિત આ પ્રોજેક્ટને અવરોધોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની ડબલ એન્જિન સરકારના નેતૃત્વ હેઠળ તેને પુનર્જીવિત કરવામાં આવ્યો હતો. શ્રી મોદીએ બિડકીન ઇન્ડસ્ટ્રીયલ નોડ દેશને સમર્પિત કરવાની જાહેરાત કરી હતી અને આ વિસ્તારમાં નોંધપાત્ર રોકાણ અને રોજગારીની તકો લાવવાની તેની સંભવિતતા પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “8,000 એકરમાં બિડકીન ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ સાથે, હજારો કરોડનું રોકાણ મહારાષ્ટ્રમાં આવશે, જેનાથી હજારો યુવાનો માટે રોજગારીનું સર્જન થશે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રોકાણ મારફતે રોજગારીનું સર્જન કરવાનો મંત્ર અત્યારે મહારાષ્ટ્રમાં યુવાનોની મોટી તાકાત બની રહ્યો છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આધુનિકીકરણ એ દેશનાં મુખ્ય મૂલ્યો પર આધારિત હોવું જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત તેના સમૃદ્ધ વારસાને આગળ વધારીને આધુનિક અને વિકસિત કરશે. તેમણે કહ્યું હતું કે, ભવિષ્ય માટે તૈયાર માળખાગત સુવિધાઓ અને દરેક વર્ગ સુધી પહોંચવાનાં લાભો બંને મહારાષ્ટ્ર માટે એટલાં જ મહત્ત્વપૂર્ણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે સમાજનો દરેક વર્ગ દેશનાં વિકાસમાં સહભાગી થશે, ત્યારે આ વાસ્તવિકતા બની શકે છે.

પ્રધાનમંત્રીએ સામાજિક પરિવર્તનમાં મહિલા નેતૃત્વની મુખ્ય ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે મહિલા સશક્તિકરણના મહારાષ્ટ્રના વારસાને, ખાસ કરીને સાવિત્રીબાઈ ફૂલેના પ્રયાસોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમણે પ્રથમ કન્યા શાળા ખોલીને મહિલા શિક્ષણ માટે આંદોલનની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રીએ સાવિત્રીબાઈ ફૂલે સ્મારકનો શિલાન્યાસ કર્યો હતો, જેમાં કૌશલ્ય વિકાસ કેન્દ્ર, એક પુસ્તકાલય અને અન્ય આવશ્યક સુવિધાઓ સામેલ હશે. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ સ્મારક સામાજિક સુધારણાની ચળવળને કાયમી શ્રદ્ધાંજલિ સ્વરૂપે કામ કરશે અને ભવિષ્યની પેઢીઓને પ્રેરિત કરશે.

પ્રધાનમંત્રીએ આઝાદી અગાઉનાં ભારતમાં, ખાસ કરીને શિક્ષણ સુધી પહોંચવામાં મહિલાઓ દ્વારા સામનો કરવામાં આવતા મોટા પડકારો પર પ્રકાશ પાડ્યો હતો તથા મહિલાઓ માટે શિક્ષણનાં દ્વાર ખોલવા બદલ સાવિત્રીબાઈ ફૂલે જેવા સ્વપ્નદ્રષ્ટાનાં વખાણ કર્યા હતાં. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, સ્વતંત્રતા મેળવવા છતાં દેશ ભૂતકાળની માનસિકતાને સંપૂર્ણપણે દૂર કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે તથા અગાઉની સરકારો તરફ ધ્યાન દોર્યું હતું, જેમણે ઘણાં ક્ષેત્રોમાં મહિલાઓની પહોંચ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, શાળાઓમાં શૌચાલયો જેવા મૂળભૂત માળખાગત સુવિધાઓના અભાવને કારણે છોકરીઓ માટે ડ્રોપઆઉટ રેટ ઉંચો થશે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, વર્તમાન સરકારે સૈનિક શાળાઓમાં મહિલાઓને પ્રવેશ અને સશસ્ત્ર દળોની અંદરની ભૂમિકા સહિત જૂની પદ્ધતિઓમાં પરિવર્તન આણ્યું છે તથા ગર્ભવતી મહિલાઓને તેમનું કામ છોડવું પડશે એ મુદ્દાનું પણ સમાધાન કર્યું છે.

પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત અભિયાનની નોંધપાત્ર અસરની રૂપરેખા આપી હતી અને કહ્યું હતું કે, તેનો સૌથી મોટો લાભ એ પુત્રીઓ અને મહિલાઓને થયો છે, જેમને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત કરવામાં આવી છે. તેમણે એમ પણ નોંધ્યું હતું કે, શાળા સ્વચ્છતા સુધારણાથી છોકરીઓ માટે ડ્રોપઆઉટ રેટમાં ઘટાડો થયો છે. શ્રી મોદીએ મહિલાઓની સુરક્ષા માટે કડક કાયદાઓ અને નારી શક્તિ વંદન અધિનિયમ વિશે વાત કરી હતી, જે ભારતની લોકતાંત્રિક પ્રક્રિયામાં મહિલાઓનું નેતૃત્વ સુનિશ્ચિત કરે છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, “જ્યારે આપણી દીકરીઓ માટે દરેક ક્ષેત્રનાં દ્વાર ખુલે છે, ત્યારે જ દેશ માટે પ્રગતિનાં સાચા દ્વાર ખુલે છે.” તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સાવિત્રીબાઈ ફૂલે સ્મારક આ સંકલ્પોને વધુ ઊર્જા પ્રદાન કરશે અને મહિલા સશક્તિકરણનાં અભિયાનને પ્રોત્સાહન આપશે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article