સમીર ભુજબળે આપ્યું રાજીનામું! અજિત પવારે ઉમેદવારી ન આપતા નારાજગી

2 hours ago 1
Sameer Bhujbal, recently  appointed Mumbai NCP President

મુંબઈઃ અજિત પવારના એનસીપી જૂથના નેતા સમીર ભુજબળે (Sameer Bhujbal)બળવાખોરીના શ્રીગણેશ કર્યા છે. ઉમેદવારી ન મળતા સમીર ભૂજબળ નારા જ હતા અને અપક્ષ લડવની તૈયારી કરી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સમીર ભુજબળે મુંબઈ અધ્યક્ષપદ પરથી રાજીનામું આપ્યું છે અને અપક્ષ લડવાની તૈયારી કરી રહ્યા છે. ભુજબળ નાંદગાંવ-મનમાડ વિધાનસભા પરથી ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ મહાયુતીની બેઠક વહેંચણીમાં આ બેઠક એકનાસ શિંદેના ફાળે ગઈ છે અને શિંદેએ ઉમેદવાર પણ જાહેર કરી દીધો છે. અહીં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પણ ઉમેદવાર જાહેર કર્યો છે આથી સમીર ભુજબળે અપક્ષ લડવાનું નક્કી કર્યું હોવાનું કહેવાય છે. 

આ અંગે હજુ તેમનું સત્તાવાર નિવેદન આવ્યું નથી કે તેમની સાથે સીધો સંપર્ક થઈ શકયો નથી.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article