Breaking News : Mumbai ના બાંદ્રા રેલવે સ્ટેશન પર નાસભાગ મચી, નવ મુસાફરો ઘાયલ

1 hour ago 1
A stampede took spot  astatine  Mumbai's Bandra railway station, 9  passengers injured

મુંબઇ: દિવાળીના તહેવારોના પગલે રેલવે સ્ટેશન પર ભીડ વધી રહી છે. જેના પગલે Mumbai બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર ગત મોડી રાત્રે નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં નવ મુસાફરો ઘાયલ થયા હતા. જેમાંથી બેની હાલત નાજુક છે. આ ઘટના મોડી રાત્રે 2 વાગ્યે બની હતી. મુંબઈથી ગોરખપુર જતી ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પર પહોંચી ત્યારે ટ્રેનમાં ચઢવાની ઉતાવળમાં નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં અનેક મુસાફરો ઘાયલ થયા હતા. આ તમામ મુસાફરોને સારવાર માટે ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તહેવારોના સમયમાં રેલ્વેમાં સ્ટેશન પર ભીડ સામાન્ય બાબત છે. જ્યારે મુંબઈમાં કામ કરતા લોકો દિવાળીના તહેવારમાં પર મોટી સંખ્યામાં તેમના વતન જતાં હોય છે. આમાંના મોટાભાગના લોકો ઉત્તર પ્રદેશ અને બિહારના છે. જેના કારણે ગોરખપુર જતી ટ્રેનમાં ચડવા માટે નાસભાગ મચી ગઈ હતી. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.

Also Read – બસ કંડક્ટરને ચાકુની ધાકે લૂંટનારા ચાર આરોપી કાર પરના સ્ટિકરને કારણે પકડાયા…

નોંધ: આ સમાચાર હાલ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે. પેજ રિફ્રેશ કરતાં રહો.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article