ચેન્નઈ: ટીમ ઈન્ડિયાએ ચેન્નઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું. ભારતે બાંગ્લાદેશને 515 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 234 રનમાં ઓલ આઉટ થઇ ગઈ. આ જીતનો હીરો રવિચંદ્રન અશ્વિન રહ્યો. અશ્વિને પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી અને બીજી ઈનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. ભારતે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
આ ટેસ્ટ જીત ભારત માટે ખાસ છે. ભારતીય ક્રિકેટ ટીમ 92 વર્ષથી ટેસ્ટ મેચ રમી રહી છે. ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની આ 179મી જીત છે. આ મેચની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયાની 178 મેચમાં જીત અને 178 મેચમાં હાર મળી હતી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે ભારતીય ટીમની જીતની સંખ્યા હારની સંખ્યા કરતા વધુ થઇ ગઈ છે. આ કારણે આ જીતને ઐતિહાસિક માનવામાં આવી રહી છે.