Fierce occurrence  successful  a temple successful  this country  of ​​Mumbai Credit : Saam Tv - Esakal

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: પૂર્વ ઉપનગરના ચેમ્બુરમાં આવેલા સંતોષી માતા મંદિરમાં શનિવારે બપોરના ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતા ઘટના સ્થળે ફાયરબ્રિગેડ પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

ચેમ્બુર કોલોનીમાં સંતોષીમાતા મંદિર આવેલું છે. શનિવાર બપોરના ૨.૧૫ વાગે મંદિરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. એ સમયે મંદિરમાં ભક્તો પણ હાજર હતા. આગ લાગતા જ ભક્તો તરત ભાગીને મંદિરની બહાર નીકળી ગયા હતા.

આ દરમિયાન ફાયરબ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયરબ્રિગેડે તરત આગ પર નિયંત્રણ મેળવી લીધું હતું.આ ઘટનામાં કોઈના દાઝવાના કે જખમી થવાનો બનાવ બન્યો નહોતો.