રમુજી સવાલના મનમોજી જવાબ

2 hours ago 1

દર્શન ભાવસાર

શેર બજારમાં તેજીના પ્રતીક માટે આખલો કેમ છે?

  • રોકાણકાર આખલાની જેમ કૂદી પડે છે.. પછી ક્યારેક ગધેડાની જેમ પટકાય છે.
    અવનવી રીતે છેતરપિંડી કેમ થતી હશે?
  • છેતરપિંડીમાં ય ટકી રહેવા માટે નવા આઈડિયા જરૂરી હોય છે.
    રાજ્ય કે દેશમાં માથાદીઠ દેવું વધે તો શું કરવાનું?
  • તમારા હિસ્સાનું ચોખ્ખું ઘી પીવાનું..
    દરેક સંકલ્પ સાકાર થાય ખરાં?
  • એ માટે પણ સંકલ્પ કરવા પડે.
    સૂત્રધાર શેની ધાર કાઢે?.
  • શબ્દોની….વાણીની….અને લાગે આવે તો પ્રેક્ષકોની.
    ચોર પકડાય ત્યારે લોકો એને કેમ મારે છે?
  • આપણે ત્યાં ચોર પૂજાનો રિવાજ નથી.
    ઉપર ગગન વિશાળ હોય ધરતી કેવી હોય?
  • – ધરતી -લીલુડી ને રણ અફાટ.
    સ્માર્ટ ક્લાસ ને સ્માર્ટ સ્કૂલથી બાળકો સ્માર્ટ થશે?
  • પહેલાં વાલીએ સ્માર્ટ થવું પડશે…
    સ્ત્રીની સુંદરતાના વખાણ પુરુષે જ કેમ કરવા પડે છે?
  • આયનો મૌન વ્રતધારી હોય છે એટલે…
    ફિલ્મ, કળા, વેપાર અને રાજકારણની જેમ હવે ધર્મમાં પણ પરિવારવાદ હોય એ કેટલું યોગ્ય ?
  • આને ઘેટાશાહી ધર્મ કહેવાય …
    ખટમીઠાંમાં ખારાશ અને મીઠાશનું પ્રમાણ કેટલું હશે?
  • લગભગ સેવ મમરા જેટલું….
    રાજકારણમાં ઘણી અનીતિ થતી હોવા છતાંય રાજનીતિ કેમ કહેવાય છે?
  • આ પણ એક કુટિલ નીતિ છે….
    દેવ-દેવીના પ્રાર્થના, ભજન, સ્તુતિ હોય તો ભક્ત માટે શું?
  • ભગવાનના નામે હૂંડી ઈશ્યુ કરવાની પરવાનગી…

    ગુજરાતમાં હમણાંથી ગુનાખોરી કેમ વધી છે?.

  • નેતા-પોલીસ ને જનતાને પૂછો….
    નીચું નિશાન હોય તો માફ કેમ નહીં કરવાનું?
  • સજા ના કરવી પડે એટલે…
    આજકાલ માફી માંગવાનો ટ્રેન્ડ કેમ વધી ગયો છે?
  • તમે માફી ન આપીને એમાં અપવાદ બની શકો…ખુશ?
    રાજા માટે રાજ એક્સપ્રેસ અને રાણી માટે ક્વિન એક્સપ્રેસ તો ગરીબ માટે શું?
  • બસ, છકડો, રિક્ષા અને ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેન…
    મારી ગર્લ ફ્રેન્ડને હું પૂજાના ફૂલ કહું છું….તો એની મમ્મીને શું કહું ?
  • ઓફકોર્સ, પૂજારણ…
    ખમણમાં મણ છે.?
  • એમ તો જમણમાં પણ મણ છે…
    સરકારી યોજનાના નામ રૂપાળા કેમ હોય છે?
  • પ્રજાને ભોળવવા માટે…
    લાંચનો પણ વિકાસ થાય તો ?
    તો એ લાંચનો વિકાસપથ બની જાય (જાય શું? એ તો કયારનો બની ગયો !)
    છાપામાં મારો ફોટો કયારે આવશે?
  • બેન્કમાં મોટી ધાડ પાડો પોલીસ સામેથી તમારા ફોટા છપાવશે…
    ભાગીને લગ્ન કર્યા પછી સાસરે જવાનો ચાન્સ મળે ખરો?
  • કોના સાસરે તમારા કે તમારી પત્નીના?

    યુવતી સારો જીવનસાથી મેળવવા – પત્ની એના પતિના દીર્ઘાયુ માટે વ્રત કરે છે તો પતિ માટે કેમ કોઈ વ્રત નથી?

  • એવા કોઈ વ્રતમાં ન પડો.. એ ફળશે તો પાછળથી ‘ફસાઈ ગયા’નો પસ્તાવો થશે

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article