શુક્ર-શનિની થશે યુતિ, આ ત્રણ રાશિના જાતકોને મોજા હી મોજા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

6 hours ago 2
A uncommon  Mahalakshmi Yoga happened, the grace of Maa Lakshmi volition  ablution  connected  the 4  zodiac signs...

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે અને જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહની સ્થિતિ મજબૂત હોય તો તેની અસર પણ જોવા મળે છે. એમાં પણ ખાસલ કરીને જેમના ન્યાયના દેવતા શનિ અને સુખ-સમૃદ્ધિના કારક શુક્ર મહેરબાન હોય એવા રાશિના જાતકોના જીવનમાં સદાય ખુશહાલી જ રહે છે. કોઈ પણ વસ્તુને પામવા કે મેળવવા માટે આ રાશિના જાતકોને વધારે મહેનત કરવી પડતી નથી. આ જ કારણ છે કે શુક્ર અને શનિ ગોચર કરે કે તેમની યુતિ થાય તેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે.

મુંબઈના જ એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ન્યાયના દેવતા શનિદેવ હાલમાં કુંભ રાશિમાં બિરાજમાન છે અને તેઓ 29મી માર્ચ, 2025 સુધી આ જ રાશિમાં બિરાજમાન રહેશે. જોકે, આ ડિસેમ્બર મહિનાની 28મી તારીખે રાતે 11.48 કલાકે શુક્રદેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને અને અહીં તેઓ 28મી જાન્યુઆરી 2025 સુધી રહેશે, જેને કારણે શનિ અને શુક્રની યુતિ થઈ રહી છે, જેનો અમુક રાશિના જાતકોને વિશેષ લાભ થશે, આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

From August 19, the destiny  of the radical   of this zodiac motion   volition  beryllium  reversed, spot    if your zodiac motion   is besides  right?

વૃષભ રાશિના જાતકો પર 71 દિવસ સુધી શુક્ર અને શનિ બંને મહેરબાન રહેશે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. યુવાનોને દરેક કામમાં સફળતા મળશે. ધન કમાવવાની નવી નવી તક મળશે. આર્થિક સ્થિતિ સુધરશે. નોકરી કરી રહેલાં લોકોને કોઈ સારી જગ્યાએ જોબ મળશે અને અહીં પ્રમોશન વગેરે થવાના યોગ પણ બનશે.

આ પણ વાંચો : ત્રીસ વર્ષે બનશે શશ યોગ, દિવાળીમાં આ રાશિના જાતકોના જીવનમાં થશે દીવા

સિંહ રાશિના જાતકોને શુક્ર અને શનિની યુતિથી જીવનમાં લાભ જ લાભ થઈ રહ્યો છે. કરિયરમાં સફળતા મળશે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન-પગાર વધારો મળશે. કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. આવકમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. નોકરી ધંધો કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય અનુકૂળ છે. પોતાનું કામ શરૂ કરવા માંગતા હોય એવા લોકોની ઈચ્છા પૂરી થશે.

meen

આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે, જેને કારણે મીન રાશિના લોકોનો મૂડ આગામી દિવસોમાં સારો રહેશે. જે વિદ્યાર્થીઓના મનમાં કરયિરને લઈને કોઈ ગડમથલ ચાલી રહી હશે તો તે પણ શાંત થશે. વૈવાહિક જીવન ખુશહાલ રહેશે. મિત્રો કે પરિવારના લોકો સાથે કોઈ જગ્યાએ બહાર જવાનું પ્લાનિંગ કરશો. કુંવારા લોકો માટે સારા સારા માંગા આવશે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article