pm modi pays tribute to amerind  soldiers successful  marseille Credit : livehindustan

પેરિસ : ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ(PM Modi)તેમના ફ્રાંસ પ્રવાસ દરમિયાન માર્સેલીમાં બીજા વિશ્વયુદ્ધમાં શહીદ થનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી. તેમણે માર્સેલીમાં વીર સાવરકરનો ઉલ્લેખ પણ કર્યો હતો.

Also work : વડાપ્રધાન મોદીએ યુએસ ઉપરાષ્ટ્રપતિ વાન્સ સાથે મુલાકાત કરી; વાન્સના દીકરા વિવેકને જન્મદિવસની ભેટ આપી

Times of India

પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે માર્સેલીમાં મઝારગ્યુસ યુદ્ધ કબ્રસ્તાન પહોંચ્યા હતા. જેની બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’પર એક પોસ્ટમાં કહ્યું કે તેઓ માર્સેલી પહોંચી ગયા છે.

At Mazargues War Cemetery, President @EmmanuelMacron and I paid homage to the soldiers who fought successful the World Wars. This includes respective Indian soldiers who valiantly fought and displayed utmost grit.

All the brave soldiers answered the telephone of work and fought with… pic.twitter.com/p0tJ3646qi

— Narendra Modi (@narendramodi) February 12, 2025

વીર સાવરકરની બહાદુરી પેઢી દર પેઢી પ્રેરણા આપતી રહેશે.

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં આ શહેરનું વિશેષ મહત્વ છે. અહીં જ મહાન વીર સાવરકરે બ્રિટિશ કેદમાંથી ભાગી જવાનો હિંમતભેર પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું, હું માર્સેલીના લોકો અને તે સમયના ફ્રેન્ચ કાર્યકરોનો પણ આભાર માનવા માંગુ છું જેમણે માંગ કરી હતી કે તેમને બ્રિટિશ કસ્ટડીમાં ન સોંપવામાં આવે. વીર સાવરકરની બહાદુરી પેઢી દર પેઢી પ્રેરણા આપતી રહેશે.

ભારત અને ફ્રાન્સને નજીક લાવવાના હેતુથી મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાશે

ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં મોદીએ કહ્યું, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને હું થોડા સમય પહેલા માર્સેલી પહોંચ્યા. આ મુલાકાતમાં ભારત અને ફ્રાન્સને નજીક લાવવાના હેતુથી મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાશે. ઉદ્ઘાટન કરાયેલ ભારતીય કોન્સ્યુલેટ લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. હું પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને પણ શ્રદ્ધાંજલિ આપીશ.

ભારતના સ્વતંત્રતા સંગ્રામ સાથે મહત્વપૂર્ણ સંબંધ

બ્રિટિશ શાસન દરમિયાન, 8 જુલાઈ, 1910 ના રોજ સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકરે બ્રિટિશ કેદમાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. આ બંદર અને શહેરનો ભારતના સ્વતંત્રતા સંગ્રામ સાથે મહત્વપૂર્ણ સંબંધ છે.જ્યારે તેમને બ્રિટિશ જહાજ મોરિયા દ્વારા ટ્રાયલ માટે ભારત લાવવામાં આવી રહ્યા હતા.

Also work : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં

મોટો રાજદ્વારી વિવાદ સર્જાયો હતો

એવું માનવામાં આવે છે કે સાવરકરે જહાજના પોર્ટહોલમાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો અને તરીને કિનારે પહોંચવામાં સફળ રહ્યા હતા. પરંતુ ફ્રેન્ચ અધિકારીઓ દ્વારા તેમને પકડી લેવામાં આવ્યા હતા અને બ્રિટિશ જહાજ અધિકારીઓની કસ્ટડીમાં પાછા સોંપવામાં આવ્યા હતા. આનાથી એક મોટો રાજદ્વારી વિવાદ સર્જાયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને