Prafull Patel Announces

પુણે: લોકસભાની ચૂંટણીમાં બારામતી મતવિસ્તારમાં જે બન્યું તે પછી હવે આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ઘણી મોટી ચર્ચાઓ ચાલી રહી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર જૂથની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર બારામતી વિધાનસભાથી જ ચૂંટણી લડશે. એનસીપીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલે આ જાહેરાત કરી છે.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં અજિત પવાર અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટીની શું હાલત? કેટલા ટકા મતો મળ્યા?

એવી માહિતી પણ સામે આવી છે કે અજિત પવાર વિવિધ મતવિસ્તારોમાં ઊભા રહેવા અંગેની સમીક્ષા કરી રહ્યા છે તે વાત સદંતર ખોટી છે. તેથી હવે લગભગ નક્કી થઈ ગયું છે કે અજિત પવાર આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેમના પરંપરાગત મતવિસ્તાર બારામતી વિધાનસભાથી ચૂંટણી લડશે. અજિત પવાર બારામતીથી ચૂંટણી લડશે કે શિરૂરથી ચૂંટણી લડશે તે અંગે પણ ચર્ચા ચાલી રહી હતી.