આવતીકાલે પશ્ચિમ રેલવેમાં મેજર નાઈટ બ્લોક, જાણી લો ફટાફટ વિગતો

2 hours ago 2
Tomorrow determination   volition  beryllium  a nighttime  artifact  successful  cardinal  railway, cognize  the details of the block Image Source: Hindustan Times

મુંબઈ: પશ્ચિમ રેલવેમાં કાંદિવલી અને ગોરેગાંવ વચ્ચે તૈયાર કરવામાં આવી રહેલી રેલવેની છઠ્ઠી લાઇનનું કામ વધુ ઝડપી અને સરળ બનાવવા માટે આવતીકાલે એટલે કે સોમવારે મધરાતે કાંદિવલી-ગોરેગાંવ વચ્ચે બ્લોક રાખવામાં આવ્યો છે. 23મી તારીખના સોમવારે રાતના 11 વાગ્યાથી 24મી તારીખ મંગળવારે સવારે સાડા પાંચ વાગ્યા સુધીનો સાડા છ કલાકનો મેજર બ્લોક રાખવામાં આવ્યો છે. આ બ્લોક પાંચમી-અપ ફાસ્ટ લાઇન પર રાખવામાં આવ્યો છે.

આ વિશે માહિતી આપતા પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે બ્લોક દરમિયાન અપ ફાસ્ટ લાઇન પર દોડતી બધી જ ટ્રેનો બોરીવલીથી અંધેરી દરમિયાન 11 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી અપ સ્લો લાઇન પર દોડાવાશે.
આ બ્લોકના કારણે ખાસ કરીને ઉપનગરના પ્રવાસીઓને અસર થશે. અમુક ટ્રેન રદ-શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આવતીકાલે રાતના 10.24 ચર્ચગેટ-બોરીવલી ટ્રેન મલાડ, 10.44 વાગ્યાની વિરારથી અંધેરી ટ્રેન બોરીવલી સુધી દોડાવાશે. રાતના અંધેરીથી 11.55 વાગ્યાની અંધેરી-ભાયંદર એસી લોકલ બોરીવલી સુધી દોડાવાશે.

એ જ રીતે વહેલી સવારના બાંદ્રા-બોરીવલી લોકલ ગોરેગાંવ સુધી દોડાવાશે, જ્યારે 24 તારીખના સવારે 8.12 વાગ્યાની બોરીવલી-વિરાર નાલાસોપારા સુધી દોડાવાશે, જ્યારે આ ટ્રેન નાલાસોપારા-વિરાર વચ્ચે રદ રહેશે. વિરારથી નવ વાગ્યાની વિરાર-બોરીવલી સ્લો લોકલને ફાસ્ટ કોરિડોર (અંધેરી-બાંદ્રા, દાદર-મુંબઈ સેન્ટ્રલ)માં દોડાવાશે. આ ઉપરાંત, મંગળવારે સવારના 9.19 વાગ્યાની ચર્ચગેટ-બોરીવલી લોકલ અને વહેલી સવારની 4.32 વાગ્યાની બોરીવલી-ચર્ચગેટ એસી લોકલ સ્લોના બદલે ફાસ્ટ કોરિડોરમાં દોડાવાશે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article