Horoscope, Astrology

જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને આ ગોચરની તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. જોકે, આ અસર ક્યારેક સકારાત્મક હોય છે તો ક્યારેક નકારાત્મક હોય છે. ચાર દિવસ બાદ આવું જ એક ગોચર થવા જઈ રહ્યું છે, જેને કારણે અમુક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યે આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે વાણી, સંવાદ, વેપાર અને બુદ્ધિના કારક, ગ્રહોના રાજકુમાર બુધ 14મી ઓક્ટોબરના નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. બુધ રાહુના સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. બુધનું આ નક્ષત્ર પરિવર્તન ત્રણ રાશિના જાતકો માટે શુભ રહેશે, આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળી રહ્યો છે. આવો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-

મિથુનઃ

Trigrahi Yog is happening, Golden Period volition  commencement  for these 3  zodiac signs...

મિથુન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે. કામના સ્થળે તમારા માટે અનુકૂળ સમય હશે. જો કોઈ જગ્યાએ પૈસા અટવાઈ ગયા હશે તો તે પાછા મળશે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે સારી રહેશે. વેપારીઓ માટે આ સમય સારો રહેશે. વેપારનો વિસ્તાર થશે. નોકરી શોધી રહેલાં લોકોને પોતાની મહેનતનું ફળ મળશે.

કન્યાઃ

Two Raj Yogas volition  beryllium  created successful  Navratri, the destiny of the 3  zodiac signs volition  shine

કન્યા રાશિના જાતકો માટે આ સમય કોઈ સારા સમાચાર લઈને આવશે. રોકાણ કરવા માટે આ સમય અનુકૂળ રહેશે. આવકના નવા નવા સ્રોત ઊભા થશે. આર્થિક સ્થિતિ પહેલાંની સરખામણીએ વધુ મજબૂત બનશે. નોકરી શોધી રહેલાં લોકોને કોઈ સારી ઓફર મળશે. પ્રમોશન કે પગાર વધારો થશે.

આ પણ વાંચો :આજનું રાશિફળ (10-10-24): મિથુન, સિંહ અને ધન રાશિના જાતકોની ઈચ્છાઓ આજે થશે પૂરી, જાણી લો શું છે તમારી રાશિના હાલ?

કુંભઃ


કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ નવી નવી તક લઈને આવશે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો માટે પણ સમય સારો રહેશે. જીવનસાથી સાથે જો કોઈ સમસ્યા ચાલી રહી હશે તો તે દૂર થશે. નોકરી કરી રહેલાં લોકોને ઉપરી અધિકારીઓનો સાથ-સહકાર મળશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. પારિવારિક સંબંધો મજબૂત થશે.