જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે જાણો કેન્દ્ર સરકારનો માસ્ટર પ્લાન?

2 hours ago 1
"Census Next Year, Delimitation of Constituencies" Union Government's Plan Before 2029

નવી દિલ્હીઃ 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ જાતિ ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઈન્ડિયા ગઠબંધને વચન આપ્યું હતું કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો જાતિની વસ્તી ગણતરી કરવામાં આવશે. હવે કેન્દ્રની મોદી સરકારે આ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર જ્ઞાતિની વસ્તી ગણતરી નહીં પણ આવતા વર્ષે બહુપ્રતિક્ષિત વસ્તી ગણતરી કરવા જઈ રહી છે. તેને 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મતવિસ્તારોના સીમાંકનની પ્રક્રિયા શરૂ કરશે. તે બાદ મહિલા અનામત લાગુ કરવામાં આવશે. આ બંને પ્રક્રિયાઓ વસ્તી ગણતરી સાથે સંબંધિત છે.

2002 માં અટલ બિહારી વાજપેયીની નેતૃત્વ હેઠળની તત્કાલિન એનડીએ સરકારે 84મા સુધારા દ્વારા સીમાંકન 25 વર્ષ માટે મુલતવી રાખ્યું હતું. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે 2026 પછીની પ્રથમ વસ્તી ગણતરીના સંબંધિત ડેટા ઉપલબ્ધ થયા પછી જ આ કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે સીમાંકન 2031ની વસ્તી ગણતરી પછી કરવામાં આવશે.

આ પણ વાંચો : જાતિ આધારિત વસ્તી ગણતરીઃ આરએસએસની યોજના હોવાનો રાહુલ ગાંધીનો દાવો

વસ્તી ગણતરીને લઈને સરકારની ખાસ તૈયારી:

સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર હવે 2027 સુધીમાં સીમાંકન પ્રક્રિયા શરૂ કરવાની અને તેને એક વર્ષમાં પૂર્ણ કરવાની યોજના બનાવી રહી છે. જેથી સીમાંકન અને મહિલા અનામત બિલ લાગુ થયા બાદ આગામી લોકસભા ચૂંટણી એટલે કે 2029 યોજવામાં આવી શકે. તાજેતરમાં ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણનો કાર્યકાળ આ ડિસેમ્બર પછી ઓગસ્ટ 2026 સુધી લંબાવવામાં આવ્યો હતો. જો કે વિવિધ વર્ગો તરફથી એવી માંગ કરવામાં આવી રહી છે કે તેમાં જાતિનો સમાવેશ કરવામાં આવે.

RSS પણ કરી રહ્યું છે સમર્થન:

ભાજપ ભલે સત્તાવાર રીતે જાતિગત વસ્તીગણતરીનું સમર્થન ન કરતું હોય પણ RSSએ જાતિ ગણતરીના વિચારને સમર્થન આપ્યું છે. સંઘે કહ્યું કે સાચી સંખ્યા મેળવવી એ એક સુસ્થાપિત પ્રણાલી છે. જો કે એક સૂત્રએ કહ્યું કે આ કઈ રીતે કરવામાં આવે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી. સૂચનોમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ધર્મની હાલની વસ્તી ગણતરીમાં OBC કેટેગરી ઉમેરવાનો સમાવેશ થાય છે, જેમાં સામાન્ય, SC-ST શ્રેણીઓમાં પેટા-શ્રેણીઓના સર્વેનો સમાવેશ થાય છે. સીમાંકનની પોતાની સમસ્યાઓ પણ હશે, કારણ કે દક્ષિણના રાજ્યો સંસદમાં તેમના રાજકીય હિસ્સા પરની અસર વિશે ચિંતિત છે. આ એટલા માટે છે કારણ કે વધુ વસ્તીવાળા રાજ્યોને કારણે ઉત્તરમાં અપ્રમાણસર બેઠકો હશે.

દક્ષિણમાં થઈ રહ્યો છે વિરોધ

દક્ષિણ ભારતની રાજ્ય સરકારોએ આ મુદ્દા પર જાહેરમાં ચિંતા વ્યક્ત કરી છે. તેમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને એનડીએના મુખ્ય સહયોગી ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુનું નામ પણ સામેલ છે. તેમણે રાજ્યના લોકો પર વસ્તીની અસરનો ઉલ્લેખ કર્યો અને તેમને વધુ બાળકો પેદા કરવા માટે પણ પ્રોત્સાહિત કર્યા. આ મામલે સરકારી સૂત્રોએ કહ્યું કે તેઓ આ ચિંતાથી વાકેફ છે અને દક્ષિણના રાજ્યોને નુકસાન પહોંચાડી શકે તેવા કોઈપણ પગલાને ટાળવામાં આવશે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article