નક્સલવાદના કારણે 8 કરોડથી વધુ લોકો પાયાની સુવિધાઓથી વંચિત રહ્યા, માનવ અધિકારનું મોટું ઉલ્લંઘન: અમિત શાહ

2 hours ago 1

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ડાબેરી ઉગ્રવાદ (એલડબલ્યુઇ) પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને તેલંગાણાના મુખ્યમંત્રી, બિહારના ઉપમુખ્યમંત્રી અને આંધ્રપ્રદેશના ગૃહમંત્રી સામેલ થયા હતા. આ બેઠક દરમિયાન વિવિધ મંત્રાલયોના કેન્દ્રીય મંત્રીઓ, જેઓ એલડબ્લ્યુઇ-અસરગ્રસ્ત વિસ્તારોમાં વિકાસ કાર્યોને વેગ આપવા માટે રાજ્યોને સહકાર આપી રહ્યા છે, તેઓ પણ આ બેઠક દરમિયાન હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ સચિવ, ડાયરેક્ટર ઇન્ટેલિજન્સ બ્યૂરો, નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ) અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ, મુખ્ય સચિવો, પોલીસ મહાનિદેશકો અને એલડબ્લ્યુઇ પ્રભાવિત રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં નક્સલવાદથી પ્રભાવિત તમામ દેશો ખભેખભો મિલાવીને કામ કરી રહ્યાં છે, જેઓ માર્ચ, 2026 સુધીમાં નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવા કટિબદ્ધ છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, પ્રધાનમંત્રી મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે અને તેમાં આપણાં 8 કરોડ આદિવાસી ભાઈ-બહેનોની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, વિકસિત ભારતનો સાચો અર્થ એ છે કે આપણા 8 કરોડ આદિવાસી ભાઈઓ અને બહેનો સહિત દેશના 140 કરોડ લોકો સુધી વિકાસ પહોંચે છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે અંતરિયાળ વિસ્તારો અને આદિવાસી સમુદાયોમાં વિકાસ લાવવામાં સૌથી મોટો અવરોધ નક્સલવાદ છે. તેમણે કહ્યું હતું કે, નક્સલવાદ શિક્ષણ, સ્વાસ્થ્ય સુવિધા, કનેક્ટિવિટી, બેંકિંગ અને ટપાલ સેવાઓને ગામડાંઓ સુધી પહોંચતા અટકાવે છે. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિકાસ સમાજનાં છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવા આપણે નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવો પડશે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, 2019થી 2024 સુધી નક્સલવાદ સામેની લડાઈમાં મોટી સફળતા મળી છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોના સંયુક્ત પ્રયાસો દ્વારા ડાબેરી ઉગ્રવાદ દ્વારા સર્જાયેલા અંધકારને બંધારણીય અધિકારો સાથે બદલવાનો અને ડાબેરી વિચારધારાની હિંસક વિચારધારાને બદલે વિકાસ અને વિશ્વાસના નવા યુગની શરૂઆત કરવાનો અમારો ઉદ્દેશ છે. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ડાબેરી ઉગ્રવાદ પ્રત્યે શૂન્ય-સહિષ્ણુતાનો અભિગમ અને સરકારી યોજનાઓનાં 100 ટકા અમલીકરણ સાથે અમે એલડબલ્યુઇથી અસરગ્રસ્ત વિસ્તારોનો સંપૂર્ણ વિકાસ કરવા ઇચ્છીએ છીએ.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article