યાહ્યા સિનવાર બાદ કોણ સંભાળશે હમાસની કમાન? આ 5 નેતા છે લિસ્ટમાં

2 hours ago 1

તેલ અવીવઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ઈઝરાયેલ દ્વારા હમાસના નેતા યાહ્યા સિનવારની હત્યા બાદ પ્રશ્ન ઉભો થયો છે કે હમાસના આગામી નેતા તરીકે કોને નિયુક્ત કરવામાં આવશે. સિનવારનું મૃત્યુ હમાસ માટે મોટી ખોટ છે અને હવે સંગઠનની અંદર નવા નેતાની નિમણૂક કરવાની પ્રક્રિયા મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. કેટલાક અગ્રણી ઉમેદવારોના નામ સામે આવ્યા છે જે હમાસના આગામી નેતાઓ હોઈ શકે છે. આમાંથી કેટલાક નામો આ પ્રમાણે છે.

મહમૂદ અલ-જહર: મહમૂદ અલ-જહર હમાસના સ્થાપક સભ્યોમાંથી એક છે. સંસ્થામાં મુખ્ય નેતા તરીકે ગણવામાં આવે છે. તેઓ રૂઢિચુસ્ત અને કટ્ટરવાદી વિચારધારા ધરાવતા નેતા તરીકે ઓળખાય છે. આ પહેલા અલ-ઝહેર પેલેસ્ટિનિયન લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય અને હમાસ સરકારના પ્રથમ વિદેશ મંત્રી રહી ચૂક્યા છે. 1992 અને 2003માં ઇઝરાયલે તેને મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે બચી ગયો હતો.

મુસા અબુ મારઝૌર્ક: મુસા અબુ મારઝૌર્ક હમાસના ટોચના રાજકીય બ્યુરોના સભ્ય છે. તે હમાસના સ્થાપક સભ્યોમાંથી એક છે. 90 ના દાયકામાં, તેના પર આતંકવાદી હુમલાઓને ભંડોળ આપવાનો આરોપ હતો, ત્યારબાદ તેની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, બાદમાં તેને જોર્ડન મોકલી દેવામાં આવ્યો હતો. હમાસના આગામી નેતા તરીકે પણ મુસાનું નામ ઉભરી રહ્યું છે.

મોહમ્મદ સિનવાર: મોહમ્મદ સિનવાર યાહ્યા સિનવારના ભાઈ છે. આ કારણે તે મજબૂત અનુગામી તરીકે જોવા મળી શકે છે. તેમના ભાઈની જેમ તેઓ પણ કટ્ટરવાદી વિચારધારા ધરાવે છે. જો તે નેતા બનશે તો હમાસની નીતિઓમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેવી શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો મોહમ્મદ સિનવરને હમાસના નવા નેતા બનાવવામાં આવશે તો ઇઝરાયેલ અને હમાસ વચ્ચે શાંતિ મંત્રણાની સંભાવના ઓછી થઈ જશે, જેના કારણે યુદ્ધ રોકવામાં સમય લાગી શકે છે.

આપણ વાંચો: ઈઝરાયલ અને હમાસના યુદ્ધની વચ્ચે આ દેશના રાષ્ટ્રપતિ પર જીવલેણ હુમલો

ખાલેદ મશાલ: ખાલેદ મશાલ હમાસનો ભૂતપૂર્વ નેતા છે અને તેણે 2006 થી એક દાયકાથી વધુ સમય સુધી તેનું નેતૃત્વ કર્યું છે. જો કે, તેમના માટે ફરીથી નેતા બનવું મુશ્કેલ માનવામાં આવે છે કારણ કે તેમણે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ વિરુદ્ધ બળવોને ટેકો આપ્યો હતો, જેના કારણે તેમની અને ઈરાન વચ્ચે મતભેદો થયા હતા.

ખલીલ અલ-હૈયા: હમાસના કતાર સ્થિત રાજકીય બ્યુરોના સભ્ય ખલીલ અલ-હયા, હમાસ વતી ઇઝરાયેલ સાથે શાંતિ મંત્રણા માટે મુખ્ય વાટાઘાટકાર રહ્યા છે. અમેરિકી અધિકારીઓ તેમને શાંતિ વાટાઘાટો માટે સંભવિત નેતા તરીકે જોવા માંગે છે. તેમને હમાસના ભૂતપૂર્વ નેતા ઈસ્માઈલ હાનિયાના સંભવિત અનુગામી તરીકે પણ ગણવામાં આવી રહ્યા હતા, પરંતુ બાદમાં સિનવારને આ પદ મળ્યું.

આમાંથી જે પણ હમાસનો આગામી નેતા બનશે, ચૂંટણીની સંગઠનના ભાવિ અને ગાઝામાં શાંતિ પ્રક્રિયા પર ઊંડી અસર પડશે. યાહ્યા સિનવારના મૃત્યુ પછી યુદ્ધની દિશામાં અને હમાસની નીતિઓમાં ફેરફાર થઈ શકે છે, પરંતુ હમાસના નવા નેતા તરીકે કોણ ઉભરે છે તેના પર નિર્ભર રહેશે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article