યુપીના બુલંદશહેરમાં સિલિન્ડર Blast, ત્રણ મહિલા સહિત 6 લોકોના મોત

1 hour ago 1

બુલંદશહેર : ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા રિયાઝુદ્દીનના ઘરમાં અચાનક સિલિન્ડર ફાટ્યો (Blast)હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ત્રણ મહિલાઓ સહિત 6 લોકોના મોત થયા છે. માહિતી મળતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારી અને ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કાર્યમાં લાગેલા છે. જેસીબીની મદદથી કાટમાળ હટાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અકસ્માત આશાપુરી કોલોની, ગુલાવતી રોડ, સિકંદરાબાદમાં થયો હતો.

8 ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા

બુલંદશહેર દુર્ઘટના પર ડીએમ સીપી સિંહે માહિતી આપી છે કે સિલિન્ડર વિસ્ફોટને કારણે શટરનું કામ કરતા રિયાઝુદ્દીનનું ઘર જમીન પર પડી ગયું હતું. માનવામાં આવી રહ્યું છે કે પરિવારમાં 17 થી 18 લોકો રહે છે. જેમાંથી 8 ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

વિસ્ફોટના કારણોની તપાસ કરવામાં આવી રહી છે

બુલંદશહરના ડીએમ ચંદ્ર પ્રકાશ સિંહે જણાવ્યું કે આશાપુરી કોલોનીમાં રાત્રે 8.30-9 વાગ્યાની વચ્ચે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. ઘરમાં 18-19 લોકો હતા જેમાં 8 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમની હાલત ખૂબ જ ગંભીર હતી. ફાયર બ્રિગેડની ટીમ, પોલીસ વિભાગની ટીમ, મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ, મેડિકલ ટીમ, એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે છે. ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રીએ પોલીસ પ્રશાસનને ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપી છે. વિસ્ફોટના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

સિલિન્ડર કેવી રીતે ફાટયો ઘટનાની તપાસ શરૂ

અકસ્માત બાદ ડીએમ સીપી સિંહે પહેલા 5 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર હતી. જોકે, બાદમાં મૃત્યુઆંક 6 પર પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું હતું. હાલ આ ઘટના એલપીજી સિલિન્ડરથી બની છે કે ઓક્સિજન સિલિન્ડરથી તેની તપાસ કરવામાં આવી રહી છે. એનડીઆરએફની ટીમ, પાલિકાની ટીમ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે હાજર છે.

લખનૌમાં પણ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો

થોડા મહિના પહેલા રાજધાની લખનઉમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સામે આવી હતી. અહીં કેટલાક લોકો ચા બનાવી રહ્યા હતા જ્યારે સિલિન્ડર ફાટ્યો અને નજીકમાં બેઠેલા લોકો જીવ બચાવવા ભાગ્યા હતા. સિલિન્ડર બ્લાસ્ટ બાદ કેટલાક લોકોએ સામેના મકાનમાં પાણી લાવી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિએ પાણી ભરેલી ડોલ ઉપાડી સિલિન્ડર પર ફેંકી દીધી. જેના કારણે આગ કાબુમાં આવી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article