વૈશ્ર્વિક શૅરબજારોમાં કડાકાનું જોખમ, મંદીની અસર સમગ્ર વિશ્ર્વમાં જોવા મળશે

2 hours ago 1

મુંબઇ: નાણા મંત્રાલયે વૈશ્ર્વિક શેરબજારોમાં સંભવિત કરેક્શન અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિભાગે ચેતવણી આપી છે કે શેરબજારમાં આવેલા એકતરફી બુલ રન અને સૌથી મહત્ત્વનું કે ઓવરવેલ્યુએશનને કારણે આગામી સમયમાં બજારોમાં કડાકો આવી શકે છે અને આ કરેક્શનની અસર સમગ્ર વિશ્ર્વમાં જોવા મળી શકે છે. નાણા મંત્રાલયે ઓગસ્ટની માસિક આર્થિક સમીક્ષામાં જણાવ્યું છે કે કેટલાક દેશોમાં તાજેતરની મોનિટરી પોલિસી સંબંધિત જાહેરાતોને કારણે શેરબજારમાં તેજી છે અને હવે કરેક્શનની શક્યતા વધી ગઈ છે. જો જોખમ વધશે તો તેની અસર વૈશ્ર્વિક સ્તરે જોવા મળશે. હકીકતમાં, વિકસિત દેશોમાં પણ મંદીની આશંકા તોળાઈ રહી છે. ભૌગોલિક રાજકીય સંઘર્ષો, વ્યાજદરમાં કાપના વૈશ્વિક ચક્રની શરૂઆત વગેરેને કારણે મુશ્કેલીઓ વધુ વધી શકે છે.

મંત્રાલયે સ્થાનિક અર્થતંત્રમાં પડકારો તરફ પણ ધ્યાન દોર્યું અને કેટલાક વિસ્તારોમાં વરસાદના અભાવ અને કૃષિ ઉત્પાદન પર તેની અસર અંગે ચિંતા વ્યક્ત ઔકરી છે. જોકે, નાણા મંત્રાલયનું કહેવું છે કે જો હવામાનની ગંભીર અસર નહીં થાય તો ગ્રામીણ વિસ્તારોમાં આવક અને માંગમાં મજબૂતી આવી શકે છે. કેટલાક ક્ષેત્રોમાં દબાણના પ્રારંભિક સંકેતો પણ જોવા મળી રહ્યાં છે, જેમ કે પેસેન્જર વાહનોના વેચાણમાં ઘટાડો અને તેની ઇન્વેન્ટરીમાં વધારો થવો આમાંનું જ એક લક્ષણ છે. વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં શહેરોમાં એફએમસીજી વેચાણમાં પણ મંદી જોવા મળી હતી.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article