‘શસ્ત્ર પૂજા’નો સ્પષ્ટ સંકેત જો જરૂર પડશે તો શસ્ત્રોનો પૂરેપૂરો ઉપયોગ કરાશે: રાજનાથ…

2 hours ago 2

નવી દિલ્હી: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શનિવારે જણાવ્યું હતું કે ભારતે ક્યારેય કોઈ દેશ પર નફરત અથવા તિરસ્કારથી પહેલો હુમલો કર્યો નથી, પરંતુ જો તેના હિતો જોખમાશે તો અમે મોટું પગલું ભરવામાં અચકાઈશું નહીં.

આ પણ વાંચો : કેન્દ્રીય રક્ષા મંત્રી Rajnath Singhનું મોટું નિવેદન, આર્મી કમાન્ડરોને કહ્યું યુદ્ધ માટે તૈયાર રહો ..

વિજયાદશમીના અવસર પર રાજનાથ સિંહે પશ્ર્ચિમ બંગાળના સુકના લશ્કરી સ્ટેશન ખાતે ‘શસ્ત્ર પૂજા’ (શસ્ત્રોની પૂજા) કરી અને કહ્યું કે આ ધાર્મિક વિધિ એ ‘સ્પષ્ટ સંકેત છે કે જો જરૂર પડશે તો શસ્ત્રો અને સાધનોનો સંપૂર્ણ તાકાત સાથે ઉપયોગ કરવામાં આવશે.

સુકના સ્થિત 33 કોર્પ્સ જેને ‘ત્રિશક્તિ’ કોર્પ્સ તરીકે ઓળખવામાં આવે છે, તે સિક્કિમ સેક્ટરમાં ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ની સુરક્ષા માટે જવાબદાર છે.

‘ભારતે ક્યારેય કોઈ દેશ પર નફરત કે તિરસ્કારથી હુમલો કર્યો નથી. અમે ત્યારે જ લડીએ છીએ જ્યારે કોઈ અમારી અખંડિતતા અને સાર્વભૌમત્વનું અપમાન કરે અથવા નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે. ધર્મ, સત્ય અને માનવીય મૂલ્યો વિરુદ્ધ યુદ્ધ કરવાની શીખ અમને વારસામાં મળી છે. અમે આ વારસાને જાળવવાનું ચાલુ રાખીશું, એમ સિંહે સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું.

અમારા હિતો સામે કોઈ સંકટ હશે તો અમે મોટું પગલું ભરવામાં અચકાઈશું નહીં. ‘શસ્ત્ર પૂજા’ એ સ્પષ્ટ સંકેત છે કે જો જરૂર પડશે, તો શસ્ત્રો, સાધનોનો સંપૂર્ણ બળ સાથે ઉપયોગ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

ભારતમાં વિજયાદશમીના અવસર પર, શસ્ત્ર પૂજાની લાંબા સમયથી પરંપરા રહી છે. આજે, મેં દાર્જિલિંગના સુકનામાં 33 કોર્પ્સના મુખ્યાલયમાં ‘શસ્ત્ર પૂજા’ કરી, એમ તેમણે હિન્દીમાં એક્સ પર પોસ્ટ કર્યું હતું.

નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, શક્તિ, સફળતા અને સલામતી માટે આશીર્વાદ મેળવવા માટે કરવામાં આવતી ધાર્મિક વિધિઓ, દશેરાના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઊંડાણની પુષ્ટિ કરે છે, જે દેશની સુરક્ષામાં શસ્ત્ર પ્રણાલીની મુખ્ય ભૂમિકા પર ભાર મૂકે છે.

તે રાષ્ટ્રની સુરક્ષા માટે સશસ્ત્ર દળોની સજ્જતા, સંકલ્પ અને અતૂટ સમર્પણનું પ્રતીક છે, એમ તેમાં કહેવામાં આવ્યું હતું.

આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ સમારોહમાં ભારતીય સેનાની પરંપરા અને આધુનિકીકરણના મિશ્રણને દર્શાવવામાં આવ્યું હતું, જેમાં ભારતના સાર્વભૌમત્વની જાળવણી અને સ્વદેશી સંરક્ષણ પ્રણાલી અને પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

સરહદો પર શાંતિ અને સ્થિરતા જાળવવામાં સશસ્ત્ર દળોની તકેદારી અને મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરીને તેમણે એમ પણ કહ્યું કે દશેરા એ બુરાઈ પર સારાની જીતનું પ્રતીક છે.

સિંહ શુક્રવારે ગંગટોકમાં આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સને રૂબરૂમાં સંબોધિત કરવાના હતા, પરંતુ સિક્કિમની રાજધાનીમાં ખરાબ હવામાનને કારણે તેમણે સુકનામાં આર્મી લોકેશનથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું.

આ પરિષદ પૂર્વી લદ્દાખમાં વિલંબિત સરહદી હરોળ વચ્ચે આવી હતી. તેનો પ્રથમ તબક્કો સિક્કિમના ગંગટોકમાં આગળના વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો, જે ભારતીય સેના માટે મહત્ત્વનું સ્થાન ધરાવે છે, જે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ની નજીક છે.

આ પણ વાંચો : PoK મુદ્દે રાજનાથ સિંહનું મહત્ત્વનું નિવેદન, જાણો કાશ્મીરમાં શું કહ્યું?

સિંઘે આર્મીના ટોચના કમાન્ડરોને તેમના સંબોધનમાં ‘કોઈપણ આકસ્મિક’ સ્થિતિનો સામનો કરવા માટે દળો સક્ષમ હોવાનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો, તેમ છતાં તેમણે કહ્યું હતું કે શાંતિપૂર્ણ ઉકેલ માટે ચીન સાથે ચાલી રહેલી વાટાઘાટો ‘તમામ સ્તરે ચાલુ રહેશે.’

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article