અમદાવાદ : અમદાવાદના(Ahmedabad)વાસણા વિસ્તારમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં કોર્પોરેશનના કચરો એકત્ર કરવા માટે બનાવેલા રિફ્યુજ સ્ટેશન પાસેના ઝૂંપડાઓમાં આગ લાગી હતી. આ આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આ ભીષણ આગમાં લગભગ 25 ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા. આ આગ લાગી ત્યારે ઝૂંપડાઓમાં કોઈ હાજર ન હતું, તેથી કોઈ જાનહાનિ થઈ ન હતી.
Also work : અમદાવાદ પોલીસ અને AMC પર હાઈકોર્ટ લાલધુમ; કહ્યું આદેશોનું પાલન કરો નહિતર…
આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી
આ અંગે મળતી માહિતી મુજબ આ ઝૂંપડાઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવાના વાહનોમાં કામ કરતા કામદારોના હતા. આ કામદારો કામચલાઉ ઝૂંપડાઓમાં રહેતા હતા. આ આગ લાગી ત્યારે બધા કામદારો કામ પર હતા. જ્યારે તેમના બાળકો શાળામાં હતા. જેના લીધે આ ભીષણ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.આ આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.
સ્થાનિક ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા હતા
આ આગની માહિતી મળતા જ એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ અને સ્થાનિક કાઉન્સિલર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.
Also work : Govt. Job: સિવિલ જજની ભરતી માટે ગુજરાત હાઇ કોર્ટની જાહેરાત…
25 ઝૂંપડા સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા
ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર, આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કુલ 75 ઝૂંપડાઓમાંથી, લગભગ 50 ઝૂંપડાઓને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ બાકીના 25 ઝૂંપડા સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને