Pakistan Security

લાહોર: પાકિસ્તાનની(Pakistan)જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટીએ જાહેર કરેલી વિરોધ કૂચના આયોજનના પગલે ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીની ટીમોની સુરક્ષા વધારવામાં આવી છે.

8 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રિકોણીય ક્રિકેટ શ્રેણી માટે ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમોની સુરક્ષા માટે લાહોરમાં સેનાના જવાનો અને રેન્જર્સ તૈનાત કરવામાં આવશે. આ અંગે ગૃહ મંત્રાલયે 5 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી દરમિયાન લાહોરમાં યોજાનારી ત્રિકોણીય ક્રિકેટ શ્રેણી માટે ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમોની સુરક્ષા માટે પાકિસ્તાન સેના અને રેન્જર્સને તૈનાત કરવાની મંજૂરી આપી છે.

8 ફેબ્રુઆરીને કાળા દિવસ તરીકે મનાવશે

ઈમરાન ખાન વર્ષ 2023 થી રાવલપિંડીની અદિયાલા જેલમાં અનેક કેસોમાં બંધ છે અને ફેબ્રુઆરી 2024 માં સામાન્ય ચૂંટણીઓથી વર્તમાન સરકાર અને ખાનની પાર્ટી સાથે તેમના મતભેદ ચાલી રહ્યા છે.

આપણ વાંચો: આજે ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમ સામે પ્રથમ ટી-૨૦ મેચ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ખરાબ છે રેકોર્ડ

ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફે પહેલાથી જ જાહેરાત કરી છે કે તે 8 ફેબ્રુઆરીને ‘કાળા દિવસ’ તરીકે મનાવશે અને આ દિવસે લાહોરમાં ઐતિહાસિક મિનાર-એ-પાકિસ્તાન ખાતે વિરોધ રેલી કાઢશે. ગયા વર્ષે 8 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી અને પીટીઆઈ આરોપ લગાવી રહી છે કે ચૂંટણીમાં તેમની પાર્ટીને આપવામાં આવેલા જનાદેશમાં છેડછાડ કરવામાં આવી છે.

પીટીઆઈએ કહ્યું કે તે ગમે તે થાય પણ વિરોધ કૂચ કરશે

આપણ વાંચો: આઇસીસીએ જાહેર કરી ટેસ્ટ રેન્કિંગ, યશસ્વી અને જુરેલે લગાવી લાંબી છલાંગ

આ બંને ટીમોની સુરક્ષા માટે સેના અને રેન્જર્સ ઉપરાંત પાકિસ્તાનના પંજાબ પ્રાંતના પોલીસ કર્મચારીઓ પણ તૈનાત કરવામાં આવશે. પ્રવક્તાએ કહ્યું કે વિદેશી ટીમોની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.

ત્રિકોણીય ક્રિકેટ શ્રેણી હેઠળની મેચો 8 થી 10 ફેબ્રુઆરી દરમિયાન ગદ્દાફી સ્ટેડિયમ અને 12 થી 14 ફેબ્રુઆરી દરમિયાન કરાચીમાં રમાશે. જોકે સરકારે હજુ સુધી પીટીઆઈને રેલી માટે પરવાનગી આપી નથી. જ્યારે પીટીઆઈએ કહ્યું કે તે ગમે તે થાય પણ વિરોધ કૂચ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને