શ્રદ્ધાનો હોય વિષય જ્યાં…સખત વિવાદ વચ્ચે પણ તિરુપતિમાં આટલા લાડુ વેચાયા

2 hours ago 1
A substance  of religion  where…so galore  laddus were sold successful  Tirupati adjacent    amid fierce controversy

બેંગલુરુ: તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુમાં ભેળસેળના મુદ્દે દેશભરમાં રાજકારણ ગરમાયું છે. લાડુમાં ભેળસેળનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જો કે એવું લાગી રહ્યું છે કે ભગવાન વેંકટેશ્વરના પ્રસાદમાં લોકોની આસ્થા પહેલા જેવી જ રહી છે. તિરુપતિ મંદિરમાં લાડુનું વેચાણ આસ્થાની સાક્ષી પૂરે છે. લાડુમાં ભેળસેળના સમાચાર સામે આવ્યા બાદ પણ વેચાણમાં કોઈ ખાસ ફરક જોવા મળ્યો નથી. છેલ્લા 4 દિવસમાં લગભગ 14 લાખ લાડુનું વેચાણ થયું છે.

લાડુ બનાવવામાં દરરોજ 15 ટન ગાયનું ઘી વપરાય છે.

તિરુપતિ મંદિરમાં મિત્રો અને સંબંધીઓને લાડુ ભેટમાં આપવાની પરંપરા અવિરતપણે ચાલુ છે. લાડુ બનાવવા માટે દરરોજ 15 ટન ગાયના ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લા 4 દિવસમાં લગભગ 14 લાખ લાડુનું વેચાણ થયું છે. મંદિરમાં દરરોજ 3 લાખથી વધુ લાડુ બનાવવામાં આવી રહ્યા છે અને લગભગ એટલી જ સંખ્યામાં લાડુ પણ વેચાઈ રહ્યા છે.

તિરુપતિ મંદિરમાં લાડુમાં પ્રાણીઓની ચરબી અને માછલીના તેલનો ઉપયોગ કરવામાં આવતો હોવાની વાત સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે પ્રસાદમાં ભેળસેળ કરીને હિન્દુઓની આસ્થા સાથે ચેડા કરવામાં આવ્યા છે.

કયા દિવસે કેટલા લાડુ વેચાયા?

તિરુપતિ મંદિર વ્યવસ્થાપનના જણાવ્યા અનુસાર 19 સપ્ટેમ્બર 2024ના રોજ 3.59 લાખ, 20 સપ્ટેમ્બર 2024ના રોજ 3.17 લાખ, 21 સપ્ટેમ્બર 2024ના રોજ 3.67 લાખ અને 22 સપ્ટેમ્બર ના રોજ2024 3.60 લાખ લાડુનું વેચાણ થયું છે.

પ્રસાદના લાડુમાં પશુની ચરબી હોવાનો આક્ષેપ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પશુની ચરબી મળી હોવાનું તાજેતરમાં એક રિપોર્ટમાં સામે આવ્યું છે. આ ચોંકાવનારો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે લેબોરેટરીમાં કરાયેલા ટેસ્ટમાં એ વાતની પુષ્ટિ થઈ કે લાડુ બનાવવા માટે વપરાતા ઘીમાં પ્રાણીઓની ચરબી મિશ્રિત છે. લાડુમાં ભેળસેળના આરોપોને પગલે, FSSAI એ તમિલનાડુ સ્થિત એક કંપનીને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને કથિત રૂપે કથિત રીતે કથિત રૂપે ઘી સપ્લાય કરવા બદલ શો- કોઝ નોટિસ આપી છે. આ નોટિસમાં AR ડેરી ફૂડ પ્રાઈવેટ લિમિટેડને પૂછ્વામાં આવ્યું છે કે શા માટે તેનું કેન્દ્રીય લાઇસન્સ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન 2011ના ઉલ્લંઘન બદલ સસ્પેન્ડ ન કરવું જોઈએ.

Also Read –

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article