સરકાર ગમે તેની બને અસલી સત્તા તો એલજી પાસે, જાણો.. Jammu Kashmir માં કેટલી અલગ હશે વિધાનસભા…

1 hour ago 1

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં(Jammu Kashmir)10 વર્ષ બાદ ચૂંટાયેલી સરકાર પરત આવી છે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને વિધાનસભા ચૂંટણીમાં 48 બેઠકો મળી છે. 90 બેઠકોની વિધાનસભામાં બહુમતનો આંકડો 46 છે. નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ સ્પષ્ટ કર્યું છે કે ઓમર અબ્દુલ્લા મુખ્યમંત્રી બનશે.

જમ્મુ અને કાશ્મીર એક સંપૂર્ણ રાજ્ય હતું

ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ત્યારે પણ તેમણે કોંગ્રેસ સાથે જ ગઠબંધન કર્યું હતું. જોકે, હવે સ્થિતિ પહેલા જેવી નથી. જ્યારે ઓમર અબ્દુલ્લા જાન્યુઆરી 2009 થી જાન્યુઆરી 2015 સુધી મુખ્યમંત્રી હતા. ત્યારે જમ્મુ અને કાશ્મીર એક સંપૂર્ણ રાજ્ય હતું. તેનું પોતાનું બંધારણ હતું. તે કેન્દ્ર સરકાર દ્વારા ઓછું અને રાજ્ય સરકાર દ્વારા વધુ સંચાલિત હતું.

જમ્મુ-કાશ્મીર વિધાનસભા હવે કેટલી અલગ હશે

પરંતુ હવે જ્યારે ઓમર અબ્દુલ્લા ફરીથી મુખ્યમંત્રી બનશે. જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ છે. ત્યારે હવે ચૂંટાયેલી સરકાર કરતાં કેન્દ્રની વધુ દખલગીરી થશે. લેફ્ટનન્ટ ગવર્નરની મંજુરી અને પરવાનગી વિના સરકાર ઘણું બધું કરી શકશે નહીં.
હવે જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર આવવાની છે. છ વર્ષથી વધુ સમય સુધી પોતાની કોઈ સરકાર નહોતી. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે જમ્મુ-કાશ્મીર વિધાનસભા હવે કેટલી અલગ હશે?

જમ્મુ અને કાશ્મીર કેવા પ્રકારનો કેન્દ્રશાસિત પ્રદેશ છે?

જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન કાયદો 2019માં સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. આ દ્વારા, રાજ્યને બે ભાગો- જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વહેંચવામાં આવ્યું હતું અને બે અલગ કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા છે. જ્યારે લદ્દાખમાં કોઈ વિધાનસભા નથી.

લક્ષદ્વીપ, ચંદીગઢ અને લદ્દાખમાં પ્રશાસકો

બંધારણની કલમ 239 કહે છે કે દરેક કેન્દ્રશાસિત પ્રદેશનો વહીવટ રાષ્ટ્રપતિ પાસે રહેશે. આની માટે રાષ્ટ્રપતિ દરેક કેન્દ્રશાસિત પ્રદેશમાં એક પ્રશાસકની નિમણૂક કરશે. આંદામાન-નિકોબાર, દિલ્હી, પુડુચેરી અને જમ્મુ-કાશ્મીરમાં લેફ્ટનન્ટ ગવર્નર છે. જ્યારે દમણ દીવ અને દાદરા નગર હવેલી, લક્ષદ્વીપ, ચંદીગઢ અને લદ્દાખમાં પ્રશાસકો છે.

તમામ બાબતોમાં કાયદો બનાવવાનો અધિકાર

જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 કહે છે કે પુડુચેરીમાં લાગુ બંધારણની કલમ 239A જમ્મુ અને કાશ્મીરમાં પણ લાગુ થશે. દિલ્હી એ વિધાનસભા ધરાવતો એકમાત્ર કેન્દ્રશાસિત પ્રદેશ છે, જ્યાં 239 AA લાગુ છે. દિલ્હી સરકારને દિલ્હીમાં પોલીસ, જમીન અને કાયદો અને વ્યવસ્થા સિવાય તમામ બાબતોમાં કાયદો બનાવવાનો અધિકાર છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article