![yog](https://bombaysamachar.com/wp-content/uploads/2023/09/Rashi-grah-nakshatra-780x470.jpg)
2025નું વર્ષ શરૂ થઈ ગયું છે અને એની સાથે જ તહેવારો અને વ્રતની શરૂઆત પણ થઈ ગઈ છે અને જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ આ મહિનો ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે. આ મહિના અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરીને શુભ અને દુર્લભ યોગ બની રહ્યા છે. આ જ મહિનાના અંતમાં મહાશિવરાત્રિ (Mahashivratri)નો તહેવાર પણ આવી રહ્યો છે. આ વખતની મહાશિવરાત્રી ખૂબ જ ખાસ છે અને આ દિવસે ખાસ ખાસ સંયોગ બની રહ્યો છે જેને કારણે અમુક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. આવો જોઈએ કઈ છે રાશિઓ અને કયો છે આ દુર્લભ યોગ.
હિંદુ સનાતન ધર્મમાં મહાશિવરાત્રિનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ વર્ષે મહાશિવરાત્રિ 26 ફેબ્રુઆરીએ છે. પૌરાણિક માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવના લગ્ન માતા પાર્વતી સાથે થયા હતા. એવું કહેવાય છે કે મહાશિવરાત્રિ ભગવાન શિવની ઉપાસના માટેની સૌથી મોટી રાત્રિ હોય છે. તેથી આ દિવસે ભક્તો દ્વારા વ્રત રાખી ભગવાન શિવની વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવે છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ વર્ષની મહાશિવરાત્રિ અત્યંત ખાસ છે. આ દિવસે શ્રવણ નક્ષત્ર અને પરિધ યોગનો અદ્ભુત સંયોગ બનશે. તેવામાં આ વર્ષની મહાશિવરાત્રિ ત્રણ રાશિના જાતકો માટે લાભદાયી રહેશે. આવો જાણીએ, કઈ રાશિના જાતકો માટે મહાશિવરાત્રિથી અચ્છે દિન શરૂ થશે, આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે.
મેષ રાશિના જાતકો માટે આ વખતની મહાશિવરાત્રિ ખૂબ જ કાસ રહેવાની છે. આ સમયે તમારી આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનશે. આ રાશિના લોકોને ભગવાન શિવની કૃપાથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. આ રાશિના વેપાર કરી રહેલાં લોકોને વિશેષ લાભ થઈ શકે છે. લગ્ન જીવનમાં ખુશીઓ રહેશે. નોકરી કરનાર જાતકોને પગાર વધારાના શુભ સમાચાર મળી શકે છે. માનસિક સમસ્યામાંથી મુક્તિ મળશે.
મિથુન રાશિના જાતકો માટે મહાશિવરાત્રિ ખૂબ જ લાભદાયી રહેશે. આ રાશિના જાતકોને નોકરીના ક્ષેત્રમાં લાભ થશે. કાર્યક્ષેત્રમાં તમારી રણનીતિઓ ચર્ચામાં રહેશે. નોકરી કરનાર જાતકોનું પ્રમોશન થઈ શકે છે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. વેપાર કરનાર લોકોની પ્રગતિ થશે. કારોબારનો વિસ્તાર થશે. નાણા સાથે જોડાયેલી કોઈ મોટી યોજના સાકાર થશે. પરિણીત લોકો જીવનસાથી સાથે સારો એવો સમય પસાર કરશો.
સિંહ રાશિના જાતકોના અચ્છે દિન મહાશિવરાત્રિથી શરૂ થશે. આ રાશિના જાતકોને શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે, જેના પરિણામસ્વરૂપ આર્થિક સ્થિતિ સારી થશે. પરંતુ નાણાના ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. વેપારમાં આર્થિક પ્રગતિ જોવા મળશે. પૈતૃક સંપત્તિથી લાભ મળી શકે છે. કામના સ્થળે પણ કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને