Maharashtra volition  ne'er  forgive you, Fadnavis lashes retired  astatine  Rahul Gandhi Image Source: Business Today

મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા આરોપો સામે પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની પ્રજા રાહુલ ગાંધીને ક્યારેય માફ નહીં કરે. રાહુલ ગાંધીએ આક્ષેપ કરતા લોકસભામાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં લોકસભા અને વિધાન સભાની ચૂંટણી વચ્ચેના પાંચ મહિનાના સમયગાળામાં લગભગ 70 લાખ નવા મતદારો ઉમેરવામાં આવ્યા છે.

ફડણવીસે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના લોકોનું, છત્રપતિ શિવાજી મહારાજનું, ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અને વીર સાવરકરની જન્મભૂમિનું અપમાન કર્યું છે. વિધાન સભાની ચૂંટણીમાં તમારો પરાજય થયો અને મહારાષ્ટ્રના લોકોએ એનડીએને લોકશાહીનો આદેશ આપ્યો ત્યારે આત્મનિરીક્ષણ કરવાને બદલે તમે નિંદા કરી રહ્યા છો. મહારાષ્ટ્રના લોકો તમને આ માટે ક્યારેય માફ નહીં કરે. માફી માગો રાહુલ ગાંધી!.

Introspect alternatively of insulting Maharashtra !
You person insulted the radical of Maharashtra, the onshore of Chhatrapati Shivaji Maharaj, BharatRatna Dr. Babasaheb Ambedkar, Mahatma Phule and Veer Savarkar.
You person questioned the antiauthoritarian mandate fixed by the radical of Maharashtra…

— Devendra Fadnavis (@Dev_Fadnavis) February 3, 2025

નોંધનીય છે કે સોમવારે બજેટ પરના રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર આયોજિત ચર્ચામાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અંગે ઘણા આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે અહીં લોકસભાની ચૂંટણી પછી અને વિધાન સભાની ચૂંટણી પહેલા માત્ર પાંચ મહિનાના સમયગાળામાં છેલ્લા પાંચ વર્ષમાં જેટલા મતદારો ઉમેરવામાં આવ્યા તેનાથી વધુ મતદારો ઉમેરવામાં આવ્યા છે. લગભગ 70 લાખ મતદારો નવા ઉમેરાયા છે.

આ પણ વાંચો…Budget 2025: બજેટમાં રેલવે માટે ગુજરાતને 17,155 કરોડ-મહારાષ્ટ્રને 23,778 કરોડની ફાળવણી

જોકે, લોકસભામાં એ જ સમયે રાહુલના આક્ષેપોનો જવાબ આપતા ભાજપના સાંસદ પીપી ચૌધરીએ જણાવ્યું હતું તે, સંસદે મતદાર યાદીમાં નામ ઉમેરવા અને દૂર કરવા અંગે કાયદો બનાવ્યો છે. એમ લાગે છે કે રાહુલ ગાંધીને આની જાણ નથી. તેમનું નિવેદન તેમની અજ્ઞાનતાને કારણે છે. તેમણે કાયદો વાંચ્યો જ નથી. કાયદામાં બધી જોગવાઇઓ છે, જો તેમને લાગે છે કે એ ખોટો છે તો તેઓ વાંધો ઉઠાવી શકે છે, પણ અહીં સવાલ ઉઠાવવાથી ખબર પડે છે કે તેમને કાયદાની કોઇ જાણ જ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને